Hero Image

22 માર્ચ 2019નું રાશિફળ, જાણો કેવો રહેેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): આજે આર્થિક દ્રષ્ટિએ તમને લાભ થશે, આજે તમે નવી યોજનાઓ બનાવી શકશો અને પરોપકારના ઉદ્દેશથી કરવામાં આવેલા કાર્યથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. તબિયત સારી રહેશે અને બીમાર વ્યક્તિઓને આજે સુધારો જોવા મળશે, આજે તમે પ્રતિસ્પર્ધીઓને હરાવી શકશો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો વૃષભ(Taurus): આજે તમે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશો, તમારી વાણીથી અન્ય લોકો પ્રભાવિત થશે અને તેઓ થકી તમને લાભ પણ થશે. આજે કલા અને લેખનકાર્ય તરફ તમારી રુચિ જોવા મળશે. આજે બહારનું ભોજન ટાળજો અને પાચનતંત્રમાં તકલીફ થવાની સંભાવના છે. મિથુન(Gemini): આજે તમારું મન વધારે સંવેદનશીલ જોવા મળશે, પાણી અને સ્ત્રીવર્ગથી બચવું અને તમારી નિર્ણયશક્તિમાં આજે અભાવ જોવા મળશે. માતાની તબિયતની ચિંતા સતાવશે. સારી ઊંઘ નહીં આવે અને તબિયત ખરાબ થઈ શકે છે. કર્ક(Cancer):
આજે કાર્યમાં તમને સફળતા મળશે, આનંદમાં વધારો થશે અને મનમાં તાજગીનો અનુભવ થશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે અને તેમની સાથે પ્રવાસનો કાર્યક્રમ બનશે. આજે તમને નસીબ સાથ આપશે. સિંહ(Lio): આજે લાંબા આયોજન સંબંધિત ચિંતા જોવા મળશે, કાર્યમાં જોઈએ તેવી સફળતા નહીં મળે. પરિવારમાં મિલાપનું વાતાવરણ જોવા મળશે. દૂરના સ્નેહીજનોની સાથે મુલાકાત થશે. આજે વધારે ખર્ચો થશે અને ક્રોધના કારણે તમારું કામ બગડશે. કન્યા (Virgo): આજે વાણી દ્વારા તમે નવા સંબંધ સ્થાપિત કરશો, વૈચારિક સમૃધ્ધિ વધશે અને વેપાર-ધંધામાં લાભ થશે. સ્નેહીજનોની સાથે મુલાકાત થશે. તેઓ તરફથી ભેટ મળશે. દાંપત્યજીવનમાં મધુરતા જોવા મળશે.  તુલા(Libra):
આજે તમને સ્વાસ્થ્યના વિષયમાં ધ્યાન રાખવું પડશે. માનસિક સ્વસ્થતા પણ ઓછી રહેશે. અવિચારી અને મનમાન્યો વ્યવહાર તમને મુસીબતમાં મુકી શકે છે. વાણી પર સંયમ રાખવો પડશે નહીંતર કોઈની સાથે ઝઘડો-વિવાદ થવાની શક્યતા છે. મોજ-શોખ અને મનોરંજન પાછળ ખર્ચો થશે. આ સમયે આધ્યાત્મિક વ્યવહાર સહાયક બનશે, એવું ગણેશજી કહે છે. વૃશ્ચિક(Scorpio): ગણેશજીના આશિર્વાદથી નોકરી-ધંધા અને વ્યવસાયના ક્ષેત્રમાં આજે તમને લાભ જ લાભ થશે. આની સાથે મિત્રો, સગા-વહાલા અને વડીલોની તરફથી લાભપ્રાપ્તિના પણ સંકેત છે. સામાજિક સમારોહ, પ્રવાસ જેવા પ્રસંગોમાં જશો. શરીર અને મનથી તમે ખુશ રહેશો. આવકના સ્ત્રોત વધશે. અવિવાહિતો માટે વિવાહનો યોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ થશે. ધન(Sagittarius):
ગણેશજી કહે છે કે, આજે તમારા યશ કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારીઓ ખુશ રહેવાથી પદોન્નતિની શક્યતાઓ વધશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પિતા તથા સરકાર તરફથી લાભ મળશે. આર્થિક યોજના સારી રીતે પૂરી કરી શકશો. વ્યાપાર-ધંધા અર્થે પ્રવાસની શક્યતા છે. અન્ય લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરશો. દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે. મકર(Capricorn): ગણેશજી કહે છે કે, બૌદ્ધિક કાર્યો અથવા સાહિત્ય લેખન પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. તમારા વ્યવસાયમાં નવા વિચારધારા તમારા કાર્યોને નવું સ્વરૂપ આપશે. વ્યવસાયના શ્રેત્રમાં પ્રતિકૂળ વાતાવરણ તમારા મનને અસ્વસ્થ કરશે. શારીરિક થાક અનુભવશો. સંતાનની સમસ્યા તમને પજવશે. અવળી રીતે ધન ખર્ચ થશે. હરિફો સાથે વાદ-વિવાદ ટાળો. કુંભ(Aquarius):
ગણેશજી આજે તમને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપે છે. ઝઘડા-વિવાદથી બચો, ક્રોધ અને વાણી પણ સંયમ રાખો. પારિવારિક વાતાવરણ ખટરાગવાળું રહેશે. આર્થિક તંગીનો અનુભવ થશે. વધુ પડતું મનોમંથન કરવાથી માનસિક થાકનો અનુભવ કરશો. ઈશ્વરનું સ્મરણ અને આધ્યાત્મિકતા તમારા માનસિક ભારને હળવો કરશે. મીન(Pisces): ગણેશજી કહે છે કે, દૈનિક કાર્યોમાંથી બહાર નીકળીને આજે તમે હરવા-ફરવા અને મનોરંજન પાછળ સમય વિતાવશો. સ્વજનો તથા મિત્રો સાથે પિકનિક પર જઈ શકો છો. સિનેમા, નાટક અથવા બહાર ભોજન કરવા જવાના કાર્યક્રમ તમને આનંદિત કરશે. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દામ્પત્યજીવનમાં વધારે નિકટતા સ્થાપિત કરી શકાશે. સાર્વજનિક જીવનમાં માન-સન્માન મળશે. -બેજાન દારુવાલા

READ ON APP