Hero Image

2020થી ડીઝલ કારનું પ્રોડક્શન બંધ કરશે મારુતિ સુઝુકી, જાણો કારણ

1 એપ્રિલ 2020થી ડીઝલ કાર નહીં બનાવે મારુતિ નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ઑટોકાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મોટી ઘોષણા કરતા કહ્યું કે, 1 એપ્રિલ 2020થી કંપની ડીઝલ કાર નહીં બનાવે. કંપનીએ તાજેતરમાં જ BS-VI કમ્પ્ય્લાયન્ટ એન્જિન સાથે બલેનો અને ઑલ્ટો રજૂ કરી હતી. હવે કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, કંપની પોતાની લાઈનઅપમાંથી ડીઝલ એન્જિનને હટાવી રહી છે.
જોકે, કંપનીએ એમ પણ કહ્યું કે, ડિમાન્ડ સારી હશે તો ડીઝલ એન્જિનને રિ-ઈન્ટ્રોડ્યૂસ કરી શકાય છે. ડીઝલ એન્જિન બંધ થવા પાછળ આ કારણ ડીઝલ એન્જિનને BS-VI નૉર્મ્સ અનુસાર અપગ્રેડ કરવામાં ખૂબ ખર્ચ થાય છે. જેનાથી મોડલ્સની કિંમતમાં પણ ખૂબ વધારો કરવો પડશે, જેની સેલ પર ખરાબ અસર પડે છે. આ કારણે કંપનીએ ડીઝલ એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે 1.5 લીટરથી ઓછી ક્ષમતાની લાઈનઅપમાં ડીઝલ એન્જિન ઉપલબ્ધ નહીં હોય. કંપનીએ એ પણ કહ્યું કે, ડિમાન્ડ સારી હશે તો 1.5 લીટર ડીઝલ એન્જિનને રિ-ઈન્ટ્રોડ્યૂસ કરી શકાય છે. કંપનીના આ નિર્ણયમાં લાઈટ કૉમર્શિયલ વ્હીકલને પણ શામેલ કરવામાં આવ્યા છે. હવે આ વ્હીકલ્સ CNG પાવરટ્રેન સાથે મળશે. કુલ સેલમાં 23 ટકા સેલ ડીઝલ વ્હીકલ્સનો
મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે, ‘1 એપ્રિલ 2020થી અમે ડીઝલ કાર સેલ કરીશું નહીં.’ વર્તમાન સમયમાં કંપની પાસે ઘણા ડીઝલ મૉડલ્સ છે. ડૉમેસ્ટિક માર્કેટમાં કંપનીના કુલ સેલમાં 23 ટકા સેલ ડીઝલ વ્હીકલ્સનો હોય છે. 2019માં મારુતિ સુઝુકીએ કર્યો 0.4 ટકાનો ગ્રોથ અગાઉ વર્ષ 2016માં કેન્દ્ર સરકારે એવી ઘોષણા કરી હતી કે, ભારતમાં BS-Vની જગ્યાએ BS-VI નૉર્મ્સનો ઉપયોગ કરવામાં આવશે. 1 એપ્રિલ 2020થી માત્ર BS-VI કમ્પ્લાયન્ટ વ્હીકલ્સ જ મેન્યૂફેક્ચર કરવામાં આવશે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ 2019થી 0.4 ટકાના ગ્રોથ સાથે 4,28,863 યૂનિટ્સ વેચ્યા છે.

READ ON APP