Stomach Ulcer: ભોજનનો સમય નક્કી નથી, તો પેટ-આતરડાંને બગાડી દેશે આ આદત; ડાયટમાં સામેલ કરો 5 ચીજ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (
(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)
હળવું ભોજન લો
પેટના અલ્સરથી બચવા માટે લાઇટ ભોજન કરવાની કોશિસ કરો. ઉપરાંત તીખા-તળેલા કે મસાલેદાર ભોજનથી દૂર રહો. એવી ચીજો ખાવ જે પાચનમાં સરળ હોય, આ દિવસો દરમિયાન તમે મગ દાળની ખીચડી પણ ખાઇ શકો છો.
મેથી
મેથીમાં મોજૂદ પ્રોટીન અને નિકોટિનિક જેવા ગુણ પેટના અલ્સરના ઇલાજમાં મદદ કરે છે. આ માટે એક ચમચી મેથીને એક કપ પાણીમાં યોગ્ય રીતે ઉકાળી લો. હવે આ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, મધમાં પેટના અલ્સર સહિત આંતરિક સોજા દૂર કરવાના ગુણો રહેલા છે. મધ અને મેથી સાથે લેવાથી થોડાં દિવસમાં આરામ મળશે.
આમળા
PubMD દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, આમળા પેટના અલ્સર દૂર કરવા માટે લાભદાયી ગણવામાં આવે છે. આ સિવાય આમળાનો અચાર પણ તમે ખાઇ શકો છો. આમળામાં મોજૂદ ફોલિક એસિડ, પોટેશિયમ, ફોસ્ફોરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પેટના સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણવામાં આવે છે.
વરિયાળી
રિસર્ચ ગેટ (Research Gate) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, વરિયાળી પેટ માટે લાભદાયી છે. પેટના અલ્સરને દૂર કરવા અને એસિડિટી, બ્લોટિંગની સમસ્યાના ઇલાજ માટે દરરોજ વરિયાળીનું પાણી પીવો. તેના સેવનથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે અને આતરડાંના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
લસણ
મેડિકલ રિસર્ચ (atmjournal) અનુસાર, કાચા લસણનું સેવન કરવાથી પણ પાચનમાં રાહત રહે છે. લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ રહેલું છે, જે H. pylori growth એટલે કે અલ્સર થવાના સામાન્ય કારણને દૂર કરે છે. લસણ પેટની બીમારીઓથી લડવામાં સહાયક છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.
READ ON APP