Hero Image

ચેન્નાઈએ પંજાબને 28 રને હરાવ્યું, હજી પણ પ્લે ઓફ માટે દાવેદાર

ધર્મશાલાઃ IPL 2024 ની 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 139 રન જ કરી શકતા તેનો 28 રને વિજય થયો હતો.

આ મેચમાં ચેન્નાઈની ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 43 રન, કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 32 રન જ્યારે ડેરીલ મિશેલે 30 રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી બોલિંગમાં રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે પંજાબની ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત બિલકુલ સારી રહી ન હતી જેમાં તેણે 9ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.

અહીંથી શશાંક સિંહ અને આશુતોષ શર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે નાની ભાગીદારી ચોક્કસપણે જોવા મળી હતી, પરંતુ 62 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડતાં પંજાબની ટીમને આ મેચમાં વાપસી કરવાની તક મળી ન હતી. પંજાબની ટીમ આ મેચમાં માત્ર 139ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બોલિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે તુષાર દેશપાંડે અને સિમરજીત સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈની ટીમે આ મેચ 28 રને જીતી લીધી હતી.

આ પણ વાંચો:રિયાન પરાગ ટ્રોલર્સને હંફાવી કેવી રીતે બન્યો IPLનો સ્ટાર પર્ફોર્મર

આ પણ વાંચો:હૈદરાબાદની રાજસ્થાન રોયલ્સ પર એક રને રોમાંચક જીત

આ પણ વાંચો:કેપ્ટન અને ચીફ સિલેક્ટર આજે T20 વર્લ્ડ કપ ટીમને લઈને સવાલોના જવાબ આપશે

આ પણ વાંચો:IPLમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને

READ ON APP