સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચની બાજ નજર
ઓવર વ્યૂ
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણી પંચે તમામ શહેરોમા લાગેલા નેતાઓના પોસ્ટર, બેનર, હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આચારસંહિતા લાગુ હોવાથી ચૂટણી પંચે આવી બધી ગતિવિધિઓ હાથ ધરી છે. આ વખતની આચારસંહિતામાં સોશિયલ મીડિયાને પણ લવાયુ છે. ચૂંટણી પંચની કડકાઈ જોતા લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે.
આદર્શ આચારસંહિતા હેઠળ કેટલાક નવા નિયમો બનાવાયા છે. આ નવા નિયમો અનુસાર કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ ઉમેદવાર એવું ભાષણ નહીં આપે અથવા એવું કોઈ કામ નહી કરે જેને કારણે કોઈ વ્યક્તિ વિશેષની વચ્ચે તણાવ પેદા થાય. વોટ મેળવવા માટે કોઈ પણ દળ કે ઉમેદવાર કોઈ વિશેષ જાતિ કે ધર્મનો સહારો નહી લે અને ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળનો ઉપયોગ નહીં કરે. મતદાતાઓને કોઈ પણ પ્રકારની લાલચ આપવી કે લાંચ આપવા પર રોક, મતદાન કેન્દ્રથી સો મીટર દૂરના દાયરામાં પ્રચાર પર રોક અથવા મતદાનના એક દિવસ પહેલાં કોઈ પણ બેઠક પર રોક વગેરે આચારસંહિતાના વ્યાપ હેઠળ આવે છે. હકીકતમાં આદર્શ આચારસંહિતા રાજકીય દળો, ખાસ કરીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના આચરણ અને વ્યવહારનો એક માપદંડ છે. ૧૯૬૦માં કેરળ વિધાનસભા માટે પહેલી વાર આદર્શ આચારસંહિતા અસ્તિત્વમાં આવી હતી અને ૧૯૯૧ સુધીમાં તે વધારે મજબૂત બની ગઈ હતી. તે સમયે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી એન શેષાને અનેક ચૂંટણી સુધારા કર્યા હતા. વરિષ્ઠ પત્રકાર ભારત ભૂષણ કહે છે કે આચારસંહિતાના કેસમાં ચૂંટણી પંચ ફક્ત નોટિસ જારી કરી શકે છે તેનાથી વધારે કંઈ નહીં. ચૂંટણી પંચને કોઈને સજા આપવાનો અધિકાર નથી.
સોશિયલ મીડિયા માટે કેટલાક નિયમો
- સોશિયલ મીડિયામાં તમામ જાહેરાતો આપતા પહેલાં પંચની મંજૂરી લેવાની રહેશે.
- દરેક ઉમેદવારે તેનો પોતાનો પાન નંબર ફોર્મમાં દર્શાવવો પડશે.
- ગૂગલ, ફેસબૂક, ટ્વિટર અને યૂ ટયૂબને રાજકીય પક્ષો દ્વારા મળનારી જાહેરાતોનું વેરિફિકેશન કરવાનું રહેશે.
- ઉમેદવારે સોશિયલ મીડિયા માટે કરેલો ખર્ચ ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં જ ગણાશે.
- તમામ ઉમેદવારે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.
- જે ઉમેદવાર તેનો પાન નંબર નહીં આપે તેનું ઉમેદવારી પત્રક માન્ય રખાશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.
READ ON APP